WhatsApp Image 2020 09 14 at 7.44.49 PM 2

કંગનાનો ફરી એકવાર ઉદ્ધવ સરકાર પર વાર,ક્લિક કરી જાણો મુંબઈ છોડતા પહેલા શું કહ્યું અભિનેત્રીએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૪ સપ્ટેમ્બર:એક અઠવાડિયા માટે મુંબઈ આવેલી અભિનેત્રી કંગના રનૌત ફરી પોતાના ઘરે મનાલી પહોંચી. જો કે જતા જતા તેને ઉદ્ધવ સરકાર-શિવસેના અને કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.કંગનાએ એક કવિતા લખી ટ્વીટ કર્યું, જેમા તેણે પોતાના પર થયેલા અત્યાચારોનું વર્ણન કર્યું,કંગનાએ કવિતા લખીને કહ્યું કે એક મહિલા સાથે આ રીતે દુર્વ્યવહાર કરીને પક્ષ પોતાની છબી ખરાબ કરી રહ્યો છે.કંગનાએ કહ્યું કે રક્ષક જ ભક્ષક બની ગયા છે અને લોકતંત્રનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે.

loading…

કંગનાએ સાથે જ હુંકાર કર્યો કે તેને નબળી સમજીને બહુ મોટી ભૂલ કરી, ભારે મનથી મુંબઈ છોડી રહેવાની વાત પણ કંગનાએ કરી,તે પોતાના પીઓકે વાળા નિવેદન પર પણ અડગ રહી.ખાસ કરીને બોમ્બે મહાનગરપાલિકાએ કંગનાની પાલિહીલ સ્થિત ઓફિસમાં તોડફોડ કર્યા બાદ કંગના અને ઉદ્ધવ સરકાર સતત એકબીજા પર આરોપ પ્રતિઆરોપ કરી રહી છે,તાજેતરમાં આ મામલાને લઈને કંગનાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.