રાજકોટના જાણીતા સંગીતકાર ડો. ઉત્પલ જીવરાજાનીનો પ્રેરક સંદેશ

કોરોના સામેની લડાઈ : સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતા સાથે જીતશે રાજકોટ – હારશે કોરોના  રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીના કપરા સમયમાં રાજકોટ વાસીઓને ભયભીત થયા વિના સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતાના પ્રકૃતિના સંદેશને અપનાવી … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ.