મુખ્યમંત્રી વિજય રુપાણી ના સુપુત્ર રિષભ રૂપાણીએ માં અંબાના શરણે અંબાજી પહોચ્યા
રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા
અંબાજી 28 જુલાઈ.બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોચ્યા હતા. કોમનમેનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા.
તેમજ અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈને રક્ષા પોટલી બંધાવી હતી. મુખ્ય મંત્રીના પુત્ર હોવા છતાં કોઈ પ્રકારના પ્રોટોકોલ કે સુરક્ષા વ્યવસ્થા સાથે રાખી નહતી. સામાન્ય જનતાની જેમ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા.