Ambaji Nitin Patel

રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય નાયબ મુખ્‍યમંત્રીશ્રી તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્‍ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા તહેવારોની ઉજવણી પ્રસંગે માસ્‍ક પહેરવા તથા સોશ્યલ ડિસ્‍ટન્‍સ જાળવવા તેમણે પ્રજાને અનુરોધ કર્યો છે.

યબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયના યાત્રાધામોના રસ્‍તાઓને ચારમાર્ગીય કરવા વર્ષ-૨૦૧૫-૧૬ના વિધાનસભા બજેટમાં રજુ કરી જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર અંબાજી યાત્રાધામને જોડતા રસ્‍તાઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ-આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી રસ્‍તાઓ પૈકી દાંતાથી અંબાજી સિવાયના તમામ રસ્‍તાઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. વન
વિભાગ તરફથી જરૂરી મંજુરીઓ સત્‍વરે આપી દેવા બદલ નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ વન વિભાગનો પણ આભાર માન્‍યો હતો. નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે ફોરલેન રસ્‍તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળશે તે સાથે આ વિસ્‍તારના લોકોને ફોરલેન રસ્‍તાઓ બહુ ઉપયોગ નિવડશે અને આ વિસ્‍તારની વિકાસકૂચ ઝડપી બનશે.
નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વમાં રાજયની વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. અંબાજી હોસ્‍પીટલને કાર્યરત કરી દેવામાં આવી છે તેમજ પુરતા પ્રમાણમાં ડોકટરો સહિત સ્‍ટાફ મુકવામાં આવ્‍યો છે. તેમણે ઉમેર્યુ કે, આજે વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્‍લાને સંખ્‍યાબંધ વિકાસકામોની ભેટ મળી છે.