Ambaji Gold

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ

Ambaji Gold

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ સોનુ રૂ. 68.20 લાખની કિંમત નુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૦૨ ઓક્ટોબર: હાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સવારે રાજકોટના એક માઈભક્તો દ્વારા અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે સવા કિલો ઉપરાંતનુ સોનું માતાજી ને ભેટ માં ધર્યુ છે માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખી એ અંદાજે કિંમત 68, 20’875/-લાખ ની કિંમત નુ સોનુ માતાજીના નિજ મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતાજીના અર્પણ કર્યું હતું જોકે હાલ તબક્કે લોકડાઉન ની પરિસ્થિતિ ચાલી રહી છે અને આ લોકડાઉન દરમિયાન અંબાજી મંદિરમાં આજે આવેલુ સોના નુ દાન ને સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે

Ambaji Temple

એટલું જ નહીં આજે પોતાનું નામ ગુપ્ત રાખી 1. 269 કિલોગ્રામ સોનુ જે દાતા ભેટ કર્યું છે તેમણે અગાઉ પણ એક કિલો સોનુ માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે અર્પણ કર્યું હતું તેમ અંબાજી મંદિર ના હિસાબી અદીકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતુ

loading…