હાર્દિક પટેલ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોય્યા
રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા
અંબાજી 28 જુલાઈ ગુજરાત કોગ્રેસ સમીતી ના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજ ના અગ્રણી નેતા હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોય્યા હતા જ્યા કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા સુતર ની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતુ ત્યાર બાદ હાર્દીક પટેલ માં અંબાના દર્શને પહોચ્યા હતા
આજે હાર્દિક પટેલ એ લાઈન માં રહીનેજ અન્ય યાત્રીકો ની જેમજ માં અંબા ના દર્શન કર્યા હતા અને ત્યર બાદ માતાજી ની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા
આજે બનાસકાંઠા ની પ્રથમ મુલાકાત માં અંબાજી ખાતે દાંતા તાલુકા ના કોંગ્રેસ ના અગ્રણી કાર્યકર્ચાઓ સાથે બેઠક પણ કરી હતી ને સંગઠન ના માળખાને મજબુત કરવા આહવાન કર્યુ હતુ આજે અંબાજી પહોચેલા હાર્દિક પટેલ એ જણાવ્યુ હતુ કે અમે ગુજરાત નો અવાજ બનીશુ અને ભારતીય જનતા પાર્ટી ની ક્રુર અને તાનાશાહી શાસન માંતી લોકોને મુક્તી માટે પ્રાર્થના કરુ છુ સાથે તાજેતર માં યોજાનાર આઠ જેટલી વિધાન સભા ની પેટા ચુંટણીઓ જીતવાનો દાવો કર્યો હતો જ્યારે તાલુકાને જીલ્લા માં પોતે કરનાર બેઠકો ને લઈ જણાવ્યુ હતુ કે અમે સંગઠન ને મજબુત બનાવવા નુ નક્કી કર્યુ છે ને રાજ્ય ના 18 હજાર ગામડા ને શહેર ના લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરીશુ