WR train: ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

WR train: માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ , ૧૮ મે: WR train: વર્તમાન પરિસ્થિતિમાં મુસાફરોની સંખ્યા ઘટાડાને કારણે ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. તથા વાવાઝોડા તાઉતે ને કારણે  વેરાવળ-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર- બાંદ્રા ટર્મિનસ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Whatsapp Join Banner Guj

1.  તારીખ 28 મે, 2021 ના રોજ ગાંધીધામ થી ચાલવા વાળી ટ્રેન નંબર 06335 ગાંધીધામ – નાગરકોઈલ સ્પેશિયલ તથા તારીખ 25 મે, 2021 ના રોજ નાગરકોઈલ થી ચાલવા વાળી ટ્રેન નંબર 06336 નાગરકોઈલ – ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.

2. તારીખ 19 મે, 2021 ના રોજ વેરાવળ થી ચાલવા વાળી ટ્રેન નંબર 09218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તથા તારીખ 18 મે, 2021 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ચાલવા વાળી ટ્રેન નંબર 09217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ રદ રહેશે.

3. તારીખ 19 મે, 2021 ના રોજ ભાવનગર ટર્મિનસ થી ચાલવા વાળી ટ્રેન નંબર 02972 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રદ રહેશે.

મુસાફરો સ્પેશિયલ ટ્રેન વિશે વિગતવાર માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત