વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા ગોપાષ્ટમી પર ગાયો ને લાડુ વિતરણ કરાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિસદ જામનગર માતૃશક્તિ દવારા ગોપાષ્ટમી નિમિત્તે, શ્રી ગણેશ ગૌસેવા કેન્દ્ર, ગાન્ધીનગર ખાતે, બિમાર તેમજ અપંગ ગોવંશની સેવા અર્થે ૨૫ કિલો લાડુ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ હતા. તેમજ બંધુઓ દવારા બાજરાની ઘુઘરી તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.
આ કાયૅક્રમમા વિ. હિ. પ. જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલીયા, જિલ્લા સહમંત્રી વિનુભાઇ રાઠોડ, જિલ્લા ધર્માચાર્ય સુરેશભાઈ ગોન્ડલીયા, માતૃશક્તિ સંયોજીકા નિમીષાબેન ત્રિવેદી, સ્વરૂપબા જાડેજા, હિનાબેન અગ્રાવત, પ્રફુલ્લાબેન ધામેચા, કૃપાબેન લાલ, રેખાબેન પટેલ, વંદનાબેન મળી કુલ ૨૫ બહેનો તેમજ શ્રી ગણેશ ગૌસેવા કેન્દ્ર ના સંચાલકો ભૂષણભાઈ , સોઢાભાઈ તેમજ ૧૦ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.