નર્મદા જિલ્લા નો પ્રખ્યાત ભાદરવા દેવ નો મેળો કોરોના ને કારણે બંધ રહેશે.
ગુજરાત સહીત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુઓ મેળા માં દર્શનાર્થે આવતા હોય છે.
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૧ નવેમ્બર: નર્મદા જિલ્લા માં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા એ ભરાતો પ્રસિદ્ધ ભાદરવા દેવ નો મેળો આ વર્ષે કોરોના ના કહેર વચ્ચે બંધ રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા ની હદ.પાસે ભાદરવા ગામે ભરાતો. ભાદરવા દેવ નો મેળો વર્તમાન સમય ની કોરોના મહામારી ને ધ્યાન માં લઇ બંધ રાખવા નો વહીવટી તંત્ર એ નિર્ણય લીધો છે. ભાદરવા ગામ ની ઉંચી ટેકરી પર આદિવાસીઓ ના આરાધ્ય દેવ. ભાથીજી મહારાજ નું પૌરાણિક મંદિર આવેલ છે જ્યાં કારતક સુદ પૂનમ નો. પરમપરાગત મેળો ભરાય છે
આમ તો સમગ્ર વર્ષ દરમ્યાન આ મંદિર માં શ્રદ્ધાળુ ઓ દર્શનાર્થે આવતા જતા રહે છે પણ કાર્તિક પૂર્ણિમા એ ત્રણ દિવસ નો મેળો ભરાતા મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુ ઓ અત્રે આ મેળા માં ભાગ લેવા દૂર દૂર થી આવતા હોય છે પૂનમ પહેલા દિવસો અગાઉ આદિવાસી શ્રદ્ધાળુ ઓ પગપાળા અને પારંપરિક