ઈટોલીઝુબામ ઈન્જેકશનએ ટોસિલીઝુમાબની માફક સમાન રીતે અસરકારક છેઃઅધિક્ષકશ્રી
સુરત:માહિતીબ્યુરો:૨૧ જુલાઈ ૨૦૨૦
કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કમિટી દ્વારા મંજૂરી મુજબ આપવામાં આવે છે, જે સાઇટોકીન સ્ટોર્મ અટકાવી દર્દીને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. પરંતુ હાલ ઈટોલીઝુબામ નામના ઈન્જેકશન પણ સાઈટોકીન સ્ટોર્મ અટકાવી ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને સારા થવામાં એટલા જ મદદરૂપ થાય છે, તથા તેની અસર પણ ટોસિલીઝુબામ જેવી જ હોય છે
એમ તબીબી અધિક્ષકશ્રી, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની યાદીમાં જણાવાયું છે.