JMC Bari Eid 2

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના પવિત્ર તહેવારની સાદગીપૂર્વક ઉજવણી

JMC Bari Eid

શહેરની પ્રસિદ્ધ ઈદગાહ મસ્જિદ સામૂહિક નમાજ માટે બંધ રખાઈ: પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત

MC Police

રિપોર્ટ: જગત રાવલ, જામનગર

જામનગર,૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ રહીને ઈદની નમાઝ પઢી ઈદનો તહેવાર મનાવ્યો હતો.
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદ કે જ્યાં પ્રતિવર્ષ બકરી ઇદના તહેવારના દિવસે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા માટે આવે છે, પરંતુ હાલમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાહેર મા નમાજ પઢવા માટે ઇદગાહ ને બંધ રાખવામાં આવી હતી.

JMC Bari Eid 2

જ્યાં આજે કડક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. અને આજે ઇદના તહેવાર ના દિવસે ઈદગાહ મસ્જીદ બંધ રહી હતી. જામનગર ના તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ રહીને નમાજ અદા કરી ઈદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, અને એકબીજાને મુબારકબાદી પાઠવવામાં આવી હતી.