વડોદરાની હોસ્પિટલોમાં કોવિડ ૧૯ ની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો: ડો.વિનોદ રાવ
કોવિડ ૧૯: વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે: ડો.વિનોદ રાવ
વડોદરા, ૦૬ નવેમ્બર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આજે ગોત્રી અને સયાજી હોસ્પિટલોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પરિસ્થિતિ નોંધપાત્ર પ્રમાણમાં સુધરી છે.
આજે ગોત્રી હોસ્પિટલમાં માત્ર ૧૧૭ અને સયાજી હોસ્પિટલમાં ૯૪ કોવિડ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.આજથી લગભગ ૪૫ દિવસ અગાઉ આ દવાખાનાઓમાં ૩૫૦ થી ૪૦૦ દર્દીઓ રહેતા.