જામનગરના સંતો ને અયોધ્યા રામ જન્મભૂમિ અંગે ની બેઠક માટે આમંત્રણ પાઠવાયું
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૦ ઓક્ટોબર: વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય યોજના અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૦ ના પરિપત્ર મુજબ આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બર ના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર રામ મંદિર નિર્માણ કાર્ય ની આગળ ની કાયૅવાહી માટે કેન્દ્રીય માગૅદશૅક મંડળ ની બેઠક માં અપેક્ષિત પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય જામનગર ના કૃષ્ણ પ્રણામીના આધપીઠ શ્રી પ નવનીત પુરીધામ (ખીજડા મંદિર) ના પીઠાધીશ્વર આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા આણદાબાવા આશ્રમ ના પ્રાતઃ સ્મરણીય મહંતશ્રી દેવિપ્રસાદજી મહારાજ ને બેઠક નો નિમંત્રણ પત્ર.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા તથા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ના અધ્યક્ષ ભરતભાઈ ફલીયા તથા જામનગર જીલ્લા ધમૉચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા દ્રારા નિમંત્રણપત્ર આપવામાં આવેલ હતું.