Bhupendra singh chudasma

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

Bhupendra singh chudasma

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે

  • રાજ્યભરમાંથી આવેલી કુલ ૨,૦૪,૪૨૦ અરજીઓ પૈકી ૧,૧૯,૬૯૭ અરજીઓ એપ્રુવ, ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ
  • ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સ્લ કરાઇ : ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ચાલુ
  • જો મુદત લંબાવવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ: સમયસર જાહેર ન કરી શકવાના કારણોસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના
RTE

ગાંધીનગર,૦૨ સપ્ટેમ્બર:રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.

મંત્રી શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં RTE હેઠળ પ્રવેશ માટે તા.૦૭/૦૮/૨૦૨૦ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે તા.૦૭/૦૮/૨૦૨૦ થી તા.૧૮/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૧ દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. ૧૯/૦૮/૨૦૨૦ થી તા. ૨૯/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૦ દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટં એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ ૨૩ દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે.


શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ http://rte.orpgujarat.com ઉપર વાલીઓ દ્વારા કુલ ૨,૦૪,૪૨૦ જેટલી અરજીઓ સબમીટ થઇ છે. જે પૈકી, આજની તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએથી ૧,૧૯,૬૯૭ અરજીઓ એપ્રુવ અને ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સ લ કરવામાં આવી છે. જ્યારે ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. અરજીઓની ચકાસણીની કામગીરી તા.૦૭/૦૯/૨૦૨૦ સુધી કરવામાં આવનાર છે અને RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.