food packet 1

Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.

Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે.

અમરેલી, ૨૩ મે: Paresh dhanani: તાજેતરમાં તાઉં તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં ભયંકર તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે સેંકડો ગરીબ અને મધ્યમ પરિવારના ઘરના નળીયા, છાપરાં ઉડી જતાં લોકોની ઘર વખરી સાથે અનાજ સહિતની ખાધ સામગ્રીઓ પલળી ગયેલ હતી.

વાવાઝોડાને અઠવાડીયા જેટલો સમય થયા બાદ પણ હજુ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમા લાઈટો તેમજ મોબાઈલ ટાવરો કાર્યરત ન થતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક લોકો બેઘર થઈ જવા પામ્યા છે. ત્યારે આ સ્થિતી માં તેઓને બે ટંક નું ભોજન મળી રહે તેવા હેતુ થી ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી (Paresh dhanani) નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે.

આ પણ વાંચો…સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું: પ્રણવ ગોલવેલકર

Whatsapp Join Banner Guj
ADVT Dental Titanium