કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં આટલા ઓછા કેસ નોંધાયા, જાણો વિગત…
અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 988 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4248 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 11,397 કોરોનાનાં એકટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી કુલ 2,21,602 દરદીઓ સાજા થયા છે.