Ganpat Vasava 1

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

Ganpat Vasava 1

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે
-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાઃ

સુરત, ૧૭ સપ્ટેમ્બર: ખેડુતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય આગળ વધારવા માટે રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણસમી યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત ખેડુતો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આયોજીત કાર્યક્રમમાં માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના દેશી ગાય આધારિત નિભાવ માટે ૧૮૩૩ ખેડુતોને તથા ૧૧૯૨ જેટલા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ કિટસ વિતરણના મંજુરીપત્રો એનાયત કરાયા હતા.

કાર્યક્રમમાં મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડુતો ખેતી ખર્ચના ધટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેકગણો વધારો થશે. ગંભીર પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા માટે ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થતા બક્ષે તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા ખેડુતોને ગોડાઉન બનાવવા, વાહન ખરીદવા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સહિત સાત જેટલી યોજનાઓ આગામી સમયમાં ખેડુતોની આવક બમણી કરવામાં મહત્વની બની રહેશે, તેવો વિશ્વાસ આદિજાતિ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

loading…

ખેડુત રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધટાડીને એક ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીશ્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આદિજાતિ મંત્રીશ્રીએ માંગરોળ તાલુકામાં આગામી સમયમાં સાત જેટલા ૬૬ કે.વી.સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. કાર્યક્રમ દરિમયાન રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હિમાયત કરી હતી

આ અવસરે સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી શ્યામસિંગભાઈ વસાવા, જી. પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી દિપકભાઈ, માંગરોળ તથા ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ તથા દરિયાબેન, સંયુકત ખેતીવાડી નિયામકશ્રી કમલેશ પટેલ,  અગ્રણીશ્રી રાકેશભાઈ,  અફઝલભાઈ,  ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામીત, તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.