પડધરીમાં યોજાયેલા કૃષિ સુધાર જન જાગરણ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૭ ડિસેમ્બર: કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત, જામનગર રાજકોટ હાઈ વે પર રાજકોટ જિલ્લાના પડધરીમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્ય સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યઓ, જિલ્લા પ્રમુખઓ, સંગઠનના હોદેદારઓની સાથે ઉપસ્થિત રહી,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રસરકારએ, જગતના તાત માટે ઐતિહાસીક જોગવાઇઓ સાથે આત્મનિર્ભરતા-સ્વતંત્રતા-પ્રગતિના દ્વાર ખોલ્યા છે તે અંગેની,અન્નદાતાઓ સમક્ષ વિસ્તૃત છણાવટ કરી હતી.