મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાઇ રહી છે.
એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથે આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા વિરષ્ઠ સચિવોએ અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો છે
તજ્જ્ઞ તબીબોએ લોકોમાં વધુ જનજાગૃતિ અંગેના સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસો અંગે પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા.
મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર અને અન્ય વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા છે
આરોગ્ય અગ્ર સચિવ ડો જયંતી રવિ સુરત થી વીડિયો કોન્ફરન્સ થી આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે