જામનગર જેટકો ની કચેરી ધરાસાઈ, ત્રણ વ્યક્તિ ઘવાયા.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરના સાત રસ્તા સર્કલ નજીક જેટકોની કચેરી આવેલી છે, જેમાં આજે સાવારે છત પાડવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે છત ધડાકાભેર તૂટી પડતા મજુરી કામ કરી રહેલા ત્રણ મજુરો છત પાડવા સમયે નીચે દબાઈ જતા તેવો ઈજાગ્રસ્ત બનતા તમામ ને 108 મારફત જીજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,
આ ઘટનાથી હવે તપાસની એ જરૂર છે કે જે કામ ચાલી રહ્યું હતું ત્યાં સુપરવાઈઝર કે કોઈ અધિકારી હાજર હતા અને આ રીતે મજુરો પર છત પડી અને ત્રણ ઈજાગ્રસ્ત કઈ રીતે બન્યા…જો મોટી જાનહાની થઇ હોત તો જવાબદાર કોણ તેની તપાસ પણ થવી જોઈએ