Jamnagar vandharan divas

જામનગર કલેકટર કચેરીએ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ નવેમ્બર: ૨૬ નવેમ્બરને આપણા રાષ્ટ્રના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ દરમિયાન ભારતના બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના અધ્યક્ષ સ્થાને બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp banner 1