Screenshot 20210105 144026 1

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ

ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા ગત વર્ષે દલિત સમાજ માટે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીના મામલામાં ઔપચારિક કેસ ના કરવો હરિયાણાની હાંસી પોલીસ માટે મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. આ મામલામાં હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે અનૂસુચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમની (SC/ST Act)કલમ 4 અંતર્ગત તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વિશેષ કોર્ટે આ આદેશ આપ્યો છે.

હિસાર સ્થિત એસસી/એસટી એક્ટની વિશેષ કોર્ટના અતિરિક્ત સત્ર ન્યાયધીશ વેદપાલ સિરોહીએ ફરિયાદકર્તા અને વકીલ રજત કલસનની અરજી પર કેસના તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર, મામલામાં તપાસ અધિકારી રહેલા અને વર્તમાનમાં બરવાલા પોલીસ ઉપાધીક્ષક રોહતાસ સિહાગે અને હાંસી શહેર પોલીસ સ્ટેશનના તાત્કાલિન પ્રભારી જસવીર સિંહ સામે SC/ST Act કલમ 4 અંતર્ગત તપાસ કરવાના આદેશ આપ્યા છે.