આપણા પરિવારની સુરક્ષા (Family safety) માટે દરેક વ્યક્તિએ કોરોનાની રસી લેવી ખુબ જ આવશ્યક છે: મહેન્દ્ર અગ્રવાલ ( પત્રકાર)
અંબાજી, ૨2 માર્ચ: કોવિડ-૧૯ કોરોના વૈશ્વિક મહામારીને દેશવટો આપવા તથા આપણા પરિવારની સુરક્ષા (Family safety)અને સલામતિ માટે દરેક વ્યક્તિએ કોરોનાની રસી લેવી ખુબ જ આવશ્યક છે તેમ અંબાજી ના વરિષ્ઠ પત્રકાર અને ઈન્ડિય રેડક્રોસ સોસાયટી ના દાંતા તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ એ પોતે કોરોના એન્ટી કોવી સિલ્ડ રસી ના બે ડોઝ સમયાન્તરે લઈ જણાવ્યું હતુ કે, સરકારની કોરોના રસીકરણ ઝુંબેશ અંતર્ગત મેં પણ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે તેની મને કોઇપણ પ્રકારની આડઅસર થઇ નથી.
તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાની રસી મુકાવવા દેશવાસીઓને આહવાન કર્યુ છે ત્યારે આપણા પરિવાર, (Family safety)શહેર અને રાષ્ટ્ર ને સુરક્ષિત અને સલામાત રાખવા હું પણ તમામ લોકોને કોરોનાની રસી મુકાવવા આહવાન કરું છું.
મહેન્દ્રભાઈએ કહ્યું હતુ કે, આપણી સરકાર લોકોની સુરક્ષા અને (Family safety) સલામતિની આટલી બધી ચિંતા કરતી હોય ત્યારે કોઇપણની વાતો કે અફવાઓમાં આવ્યા સિવાય આ રસી દરેકે મુકાવવી જોઇએ. એટલુજ નહી મહેન્દ્ર અગ્રવાલે કોરોના વર્ષ 2020 અંતરગત 3 ત્રણ આરટીપીસીઆર અને છ રેપીડ ટેસ્ટ કુલ નવ ટેસ્ટ કરાવ્યા હતા ને દર વખતે નેગેટીવ આવ્યા હતા.
આ પણ વાંચો….Punjab: ट्रेन में यात्रा के लिये आधार कार्ड जरूरी, जानें अन्य नियम