નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે સિવિલ અને યુ.એન મહેતા હોસ્પિટલના તબીબોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી

કોરોનાની મહામારીમાં શહીદ થયેલા મેડીકલ જગતના કોરોના યોધ્ધાઓને

તબીબોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી

સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીમાં મેડીકલ જગતના તબીબી યોધ્ધાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતાં શહીદ થયા છે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદ સિવિલ અને યુ.એન.મહેતા હોસ્પિટલના તબીબો અને તમામ મેડીકલ સ્ટાફે શહીદ થયેલા કોરોના યોધ્ધાઓના માનમાં બે મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. તબીબોએ સાથી તબીબ મિત્રોના જોમ અને જુસ્સાને યાદ કર્યા હતા.

IMG 20200701 WA0001