દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 30,006 થઈ.
ભારતમાં સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો યથાવત , જે 3.6 લાખથી નીચે ગયું
છેલ્લા 15 દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા કરતા વધુ
છેલ્લા 7 દિવસથી દૈનિક મૃત્યુ 500 કરતા ઓછા
12 DEC 2020 by PIB Ahmedabad
ભારતના સક્રિય કેસનું ભારણ સતત ઘટાડાના માર્ગે યથાવત છે. સક્રિય કેસનું કુલ ભારણ આજે 3.6 લાખ (3,59,819) ની નીચે આવી ગયું છે.
નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યાનું વલણ અને દૈનિક ઓછી સંખ્યામાં મૃત્યુઆંકના વલણને કારણે આ શક્ય બન્યું છે, જેના લીધે સક્રિય કેસના ભારણમાં સંપૂર્ણ ઘટાડો થયો છે. ભારતમાં વર્તમાન સક્રિય કેસનું ભારણ ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 3.66% છે. છેલ્લા 24 કલાકમાં 33,494 દર્દીઓ સાજા થતા કુલ સક્રિય કેસમાં 3,930નો ચોખ્ખો ઘટાડો થયો છે.
છેલ્લા અઠવાડિયામાં સામાન્ય સરેરાશ છ સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં દૈનિક કેસમાં સતત ઘટાડો દેખાયો છે.
છેલ્લા 15 દિવસથી દેશમાં નોંધાયેલી દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નોંધાયેલા દૈનિક કેસ કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા કેસની સંખ્યા 30,006 છે. જ્યારે, સમાન સમયગાળા દરમિયાન 33,494 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
સાજા થયેલા કેસની વધી જતી સંખ્યાના લીધે આજે સાજા થવાનો દર વધીને 94.89% થયો છે.
સાજા થયેલા કુલ કેસની સંખ્યા 93,24,328 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને હાલમાં 89,64,509 ની સપાટીએ છે.
નવા સાજા થયેલા કેસમાંથી 74.46% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
કેરળમાં નવા સાજા થયેલા 4,748 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. પશ્ચિમ બંગાળમાં 2,873 લોકો સાજા થયા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2,774 લોકો સ્વસ્થ થયા છે.
નવા કેસમાંથી 74.16% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.
કેરળમાં સૌથી વધુ 4,642 દૈનિક નવા કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્રમાં 4,268 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 2,753 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મૃત્યુ થયા છે.
નવા મૃત્યુઆંકમાંથી 7.05% મૃત્યુ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (87) લોકોના મૃત્યુ થયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 60 અને 50 દૈનિક મૃત્યુ થયા છે.
છેલ્લા ઘણા દિવસોથી દૈનિક મૃત્યુઆંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી, દૈનિક મૃત્યુ 500 ની નીચે રહે છે.