જામનગર નજીકના સસોઈ ડેમ માંથી સિંચાઈ માટે પાણી છોડવા કોંગ્રેસની રજુવાત
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૮ ડિસેમ્બર: જામનગર તાલુકાના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુભરવાડીયા સાહેબ તથા ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મંત્રી યુસુફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ પી.સી. ખેતિયા, લલિતભાઈ પટેલ, તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો દ્વારા સસોઈ ડેમ નાં કમાન્ડ એરીયા માં ખેડૂતો ની રજૂઆત મુજબ શિયાળુ પાક માટે પાણી છોડવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી.
જે રજુઆત નાં અનુસંધાને તારીખ ૦૧/૦૧/૨૧ નાં રોજ પાણી છોડવા ની બાંહેધરી આપવામાં આવી હતી જે કાયૅપાલક ઈજનેર નો આભાર વ્યક્ત કર્યો હતો, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભઈ કુભરવાડીયા,ઉપેન્દ્સિહ જાડેજા પ્રમુખ જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો….
- અગામી ત્રણ દિવસમાં ભારે ઠંડી પડશે, જાણો, રાજ્યના ક્યા શહેરમાં કેટલું તાપમાન?
- આજનું રાશિ ભવિષ્યઃ આ રાશિની આર્થિક સમસ્યા દૂર થતી જણાશે!