Coastguard: કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના દરિયા કિનારે બોટમાં ફસાયેલા 06 માછીમારોનો બચાવ
Coastguard: કોસ્ટગાર્ડના જવાનોએ રેસ્ક્યુ બોટમાં બેસી બ્રેકવોટર એરિયામાં ફસાયેલા ૫ માછીમારોને તેમની તૂટેલી બોટમાથી સુરક્ષિત રીતે બહાર કાઢી તેઓને કિનારે લાવવામાં આવ્યા હતાં.
અહેવાલ: રાજકુમાર સાપરા
રાજકોટ, ૧૮ મે: Coastguard: વેરાવળના દરિયા કિનારે બ્રેકવોટરમાં ફસાયેલી બોટના ૮ ખલાસીઓને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેક્સ્યૂ કરવામાં આવ્યું છે. બોટમાં ખલાસીઓ ફસાયેલા હોવાની જાણકારી મળતા તુર્તજ કોસ્ટગાર્ડના જવાનોએ રેસ્ક્યુ બોટમાં બેસી બ્રેકવોટર એરિયામાં ફસાયેલા ૫ માછીમારોને તેમની તૂટેલી બોટમાથી સુરક્ષિત રીતે બહાર કાઢી તેઓને કિનારે લાવવામાં આવ્યા હતાં.
અહીં ઉપસ્થિત એમ્બ્યુલન્સમાં તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જયારે અન્ય 3 માછીમારોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો…12 Newborns: વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતરેલા 12 નવજાત શિશુઓ