કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં
રિપોર્ટ:જગત રાવલ
૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની મુલાકાતે પોહચિયા છે.
મુખ્યમંત્રી એરપોર્ટ થી સીધા જ જીલા સેવા સદન, કલેકટર કચરી પર જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી..
આ બેઠકમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર રવિશંકર, કમીશ્નર સતીશ પટેલ સહિત ના આગેવાનો હાજર રહ્યા છે.