breaking news Testing guideline 0412

BREAKING: કોરોનાના ટેસ્ટિંગ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

IMCR Guideline for Corona Testing.

ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય  તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

whatsapp banner 1

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કોવિડ -૧૯ રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક કોવિદ -૧૯ નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.