કારસેવકોની યાદમાં જામનગરમાં યોજાયો રક્તદાન કેમ્પ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૨ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર શહેર જિલ્લા દ્વારા રામ જન્મભૂમિ મંદિર નિર્માણ હેતુ બલિદાની કાર કારસેવકો ના સ્મરણ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન જામનગર ઉદ્યોગ નગર ફેક્ટરી ઓનર એસોસિએશન ખાતે રાખવામાં આવેલ હતું.
કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઇ યોગ્ય અંતર જાળવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો, ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટર દિનેશભાઈ ગજરા તથા શહેરીજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલિયા, શહેર મંત્રી શુબ્રમણ્યમ પીલ્લે, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ જિલ્લા સહ સંયોજક પ્રીતમ સિંહ વાળા, વિનુભાઈ રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ફેક્ટરી ઓનર એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધીરજલાલ સાવલિયા, પાઠક દાદા તથા અન્ય ગણમાન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.