IMG 20200903 WA0039

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાત નો પ્રવાસ આજે યાત્રાધામ અંબાજી થી પ્રારંભ કર્યો

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી

અંબાજી 03 સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટી ની કાર્યકર્તા મુલાકાત યાત્રા આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પોતાની પ્રથમ સૌરાષ્ટ યાત્રા પૂર્ણ કર્યા બાદ આજથી ઉત્તર ગુજરાત નો પ્રવાસ શરૂ કર્યો છે ભાજપા ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાત ના સરહદી વિસ્તાર સહીત ના સાત જેટલા જિલ્લા નો પ્રવાસ આજે યાત્રાધામ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી ને પ્રવાસ નો પ્રારંભ કર્યો હતો સીઆર પાટીલ ખુલી જીપ માં ઉભા રહી લોકો નો અભિવાદન કર્યું હતું આદિવાસી ના ઢોલ અને લેઝીમ દ્વારા સી આર પાટીલ નો પ્રવાસ આગળ ધપાવ્યો હતો જ્યાં ડીકે સર્કલ ઉપર સી આર પાટીલ નો બનાસકાંઠા સંસદ તેમજ અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી તલવાર આપી સ્વાગત કરાયું હતું જયારે અંબાજી ભાજપ મંડળ દ્વારા 51 કિલો નો ફૂલ નો હાર પહેરાવી પ્રવાસ ની સફળતા માટે ની શુભેચ્છા પાઠવી હતી

આ પ્રંસગે સી આર પાટીલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા કાર્યકરો ના સંપર્ક સાથે તેમને મુંઝવતા પ્રશ્નો જાણવાનો અધિકાર રહ્યો છે સાથે પક્ષપાર્ટી નો સંગઠન બળ વધુમાં વધુ મજબૂત થાય તેવા પ્રયાસો સાથે કાર્યકર્તાઓ ની મુલાકાત માટે આ રીત ના પ્રવાસ નું આયોજન થતું હોય છે.

જોકે ચોથા અનલોક ની ગાઈડ લાઈન પ્રમાણે રેલી કે યાત્રા માં 100 લોકોની જ મંજૂરી આપી છે પણ આજે સીઆર પાટીલ ના કાર્યક્રમ માં એકત્રિત કયારેલી ભીડે સોશ્યિલ ડિસ્ટર્ન્સ ના ધજાગરા ઉડ્યા હતા ને હજારો ની સંખ્યા માં સીઆર પાટીલ ની આ રેલી માં જોડાયા હતા ને સ્વાગત કાર્યક્રમ માં પણ જાહેર માર્ગ ઉપર જ મોટી ભીડ ઉમટી પડી હતી ને આ વખતે અંબાજી માં ભાદરવીપૂનમ નો મેળો મુલતવી રહ્યો હતી પણ સીઆર પાટીલ ના કાર્યક્રમ માં જે રીતેની ભીડ એકત્રિત થઇ હતી તે તે જોતા ભાદરવીપૂનમ ની ભીડનો નજારો લોકો ને જોવા મળી હતી