IMG 20200903 WA0032

અંબાજી મંદિર ના દ્વાર ખુલતા સી આર પાટીલે સૌ પ્રથમ નિજ મંદિરમા માં અંબા ના દર્શને પહોંચ્યા

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી

અંબાજી,02 સપ્ટેમ્બર:ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાત કરી હતી અને આજ થી જ ફરી માં અંબા ના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલતા સી આર પાટીલે પણ અંબાજી ની મુલાકાત દરમિયાન સૌ પ્રથમ નિજ મંદિર માં માં અંબા ના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમને માતાજી ની પૂજા અર્ચના સહીત તેમને કપૂર આરતી પણ કરી હતી

IMG 20200903 WA0034

તેમની સાથે ભાજપા ના પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા, સંસદ પરબતભાઇ પટેલ ,અગ્રણી નેતા કેસી પટેલ ,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહીત અનેક નેતાઓ સીઆર પાટીલ ની અંબાજી ની દર્શનયાત્રા માં જોડાયા હતા સીઆર પાટીલે માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના પણ આશીર્વાદ લીધા હતા સાથે તેમને ગુજરાત તેમજ દેશ વાસીઓ ની સુખાકારી માટે માતાજી ને પ્રાર્થના પણ કરી હતી