Vaghela bapu

ભાજપ સરકારે કૃષિ બિલ લાવીને ખેડૂતોને કંપનીઓને હવાલે શોષણ કરવા છોડી દીધા છે” : શંકરસિંહ વાઘેલા

Vaghela bapu
  • “ખેતી રાજ્યનો વિષય હોવા છતાં ભાજપ સરકારે કૃષિ બિલ લાવીને APMC અને MSP બંધ કરવાના હેતુથી ખેડૂતોને કંપનીઓને હવાલે શોષણ કરવા છોડી દીધા છે” : શંકરસિંહ વાઘેલા
  • “મજૂર બિલ થકી કંપનીઓને કર્મચારીઓને છુટા કરવાની ખુલ્લી છૂટ આપી ને સરકારે લાખો કર્મચારીઓના ભવિષ્ય પર લટકતી તલવાર છોડી દીધી છે” : શંકરસિંહ વાઘેલા
  • “ભાજપ સરકાર ખેડૂત વિરોધી,મજૂર વિરોધી અને દેશ વિરોધી સરકાર છે” : શંકરસિંહ વાઘેલા
  • “સંસદમાં સરકારે જે તરકટ કરીને તાનાશાહી કરી છે તેના વિરોધમાં આવતીકાલે ‘ભારત બંધ‘ બોલાવવામાં આવ્યું છે જેને હું સમર્થન આપુ છું અને લોકોને પણ ખેડૂતોના અને કર્મચારીઓના ભવિષ્યની રક્ષા કરવા માટે આ બંધમાં જોડાવવા આગ્રહ કરું છું” : શંકરસિંહ વાઘેલા
  • “જે પાર્ટીના વિસ્તાર માટે જુવાની ખપાવી દીધી એ પાર્ટી આજે લોકોના શોષણ કરતા નિર્ણયો લે ત્યારે દુઃખ થાય છે” : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ દ્વારા આવતીકાલના ‘ભારત બંધ‘ ના આહવાન ને સમર્થન આપતા લોકોને સોશીયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં તેઓએ લોકોને પણ ખેડૂતો અને કર્મચારીઓના સમર્થનમાં આ બંધમાં જોડાવવા કહ્યું છે. કેન્દ્રની ભાજપ સરકારે હાલમાં જ સંસદમાં જે કૃષિ અને મજૂર બિલ લાવીને તરકટ કર્યું તેના વિરુદ્ધમાં શંકરસિંહ બાપુ એ કહ્યું છે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી, મજૂર વિરોધી અને દેશ વિરોધી સરકાર છે. સંસદમાં સરકારના તરકટ ને તેઓએ તાનાશાહી ગણાવી વખોડી છે.

સરકાર અમેરિકી ઢબે ખેતી ને કંપનીઓના હવાલે સોંપીને ખેડૂતોને ખતમ કરવાનું કામ કરી રહી છે. નવા બિલથી APMC નામ માત્ર રહી જતા અને MSP પણ ખતમ થઈ જશે અને APMC બહાર વેચાણ ને પ્રોત્સાહન મળતા કંપનીઓ ખેડૂતોનું આર્થિક શોષણ કરશે તે અંગે બાપુ એ સરકારને ચેતવ્યા છે. ખેડૂતોને કોર્ટમાં જવાનો હક નહીં રહે અને સરકારનો હસ્તક્ષેપ ન રહેતા શોષણ થશે તે આશંકાથી ખેડૂતો ભયભીત છે.

loading…

શંકરસિંહ બાપુ એ ગઇકાલે રાજ્યસભામાં પસાર થયેલ મજૂર બિલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સરકારે કંપનીઓને ગમે ત્યારે કર્મચારીઓને નોકરી માંથી છૂટા કરવાની ખુલ્લી છૂટ આપતા લાખો કર્મચારીઓનાં ભવિષ્ય પર તલવાર લટકી રહી છે. દેશમાં બેરોજગારી રેકોર્ડ સ્તરે છે ત્યારે સરકારના આ નિર્ણયથી બેરોજગારી વધશે.

Banner City 1

આ ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી બિલના વિરોધમાં આવતીકાલે વિવિધ સંસ્થાઓ દ્વારા ન્યાયની માંગણી સાથે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે તેમના સમર્થનમાં શંકરસિંહ બાપુ જોડાયા છે અને લોકોને પણ આ બંધમાં જોડાવવા કહ્યું છે.