Anaj Vitaran shop death 25 lakh chauqe

જાહેર વિતરણ ની દુકાન ના સંચાલક ના પરિવાર જનો ને ૨૫ લાખ ની સહાય…

કોરોના વોરિયર્સ……

25 lakh help money by anand collector death of ajan vitaran shop keeper
કલેક્ટર શ્રી એ પરિવાર જનો ને ચેક અર્પણ કર્યો.

સંચાલક નું કોરોના સંક્રમણ થી અવસાન થયુ હતું…..

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ, ૧૮ નવેમ્બર: આણંદ જિલ્લાના આંકલાવ નગર ના પંડીત દીનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણ ની દુકાન ના સંચાલક શ્રી ચંદુભાઈ ધોળીભાઈ પટેલ નું કોરોના સંક્રમિત થતા ગત જુલાઈ માં અવસાન થયું હતું , અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ અગાઉ જાહેર કર્યા મુજબ કોરોના વોરિયર્સ તરીકે આરોગ્ય કર્મી ઓ ની શ્રેણી મુજબ અનાજ વિતરણ ની દુકાન ના સંચાલકો ને પણ કોરોના વોરિયર્સ ગણવા તે મુજબ આણંદ જિલ્લા માં પણ આવા ચાર સંચાલક શ્રી ઓ નું કોરોના સંક્રમણ ને કારણે અવસાન થયું હતું કલેક્ટર શ્રી આર.જી. ગોહીલ ના માર્ગ દર્શન હેઠળ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બમણિયા એ રાજ્ય સરકાર માં સહાય ની દરખાસ્ત કરી હતી જે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

Anand collector R G Gohil Give help money corona warriors Family.

જે પૈકી જે સહાય પહેલી મંજુર થઈ આવી તે વિના વિલંબે ચેક સ્વરૂપે રૂ.૨૫ લાખ આજે કલેક્ટર શ્રી આર. જી. ગોહિલે મૃતક સંચાલક શ્રી ધર્મપત્ની ને પરિવાર જનો ની હાજરી માં ચેક અર્પણ કર્યો હતો. મૃતક કોરોના વોરિયર્સ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલક ના ધર્મપત્ની અને પરિવાર જનો એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ,રાજ્ય સરકાર , અને કલેકટર શ્રી સહીત જિલ્લા વહીવટી તંત્ર પ્રતેય આભાર ભાવ ની લાગણી વ્યક્ત કરી હતી.

whatsapp banner 1