15મી જાન્યુઆરીથી અમદાવાદ – નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ સપ્તાહમાં એક દિવસ ચાલશે.

Railways banner

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી દર બુધવાર અને શુક્રવારે ચાલતી ટ્રેન નંબર 02917 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ ટ્રેન 15 જાન્યુઆરી, 2020 થી કાયમી ધોરણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –     

હાલમાં, ટ્રેન નંબર 02917 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ સપ્તાહમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારે અમદાવાદથી ચલાવવામાં આવે છે અને ટ્રેન નંબર 02918 હઝરત નિઝામુદ્દીન – અમદાવાદ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે નિઝામુદ્દીનથી ચલાવવામાં આવે છે.

જણાવેલ તારીખથી, આ ટ્રેન અઠવાડિયામાં એકવાર અમદાવાદથી દર સોમવારે અને દર શનિવારે હઝરત નિઝામુદ્દીનથી ચાલશે. એટલે કે, અમદાવાદ અને હઝરત નિઝામુદ્દીન આ ટ્રેન ત્રીસાપ્તાહિક ની જગ્યાએ સાપ્તાહિક રેહશે.

આ પણ વાંચો…..