અમદાવાદ–નિઝામુદ્દીન અને અમદાવાદ–પટના સ્પેશિયલ બદલાયેલા રસ્તે ચાલશે

Train 1410

 અમદાવાદ, ૦૪ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના વિભાગ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા વિભાગમાં ડુમરિયા-ફતેહ સિંહપુરા વિભાગ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. આ જોતા અમદાવાદથી દોડતી બે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.

જેની વિગતો નીચે મુજબ છે: –

  1. તારીખ 04.11.2020 ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 02917 અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – રેવારી થઇને ચાલશે.
  2. તારીખ 04.11.2020 ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09447 એ અમદાવાદ – પટના સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર રૂટ ઉપર દોડશે.
whatsapp banner 1
loading…