આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૭૭૮ નવા કેસ નોંધાયા અને ૪૨૧ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૦૭ જુલાઈ ૨૦૨૦
આજ રોજ ૨ાજ્યમાં ૭૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૪૨૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૨૫,૮૩૦ ટેરટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે કુલ ૨,૭૭,૦૬૪ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૨,૭૩,૬૮૪ વ્યકિતઓ હૉમ ક્વૉરેન્ટાઈન છે અને ૩,૩૮૦ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર કુલ દર્દી ૬૧ અને સ્ટેબલ ૮૮૫૨ છે.