આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૮ નવા દર્દીઓ નોંધાયા ૮૭૨ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૪ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૧૦૬૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૦૬,૭૧૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૧,૪૪૭ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૪૯,૬૮૩ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૧૭૬૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૩ અને સ્ટેબલ ૧૨,૪૩૫ કુલ દર્દીઓ છે.