આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૦૨ નવા દર્દીઓ નોંધાયા ૬૦૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૩જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૯૦૨ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૭૦,૨૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૩૨,૨૬૮ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૨૯,૬૯૦ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૫૭૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૪ અને સ્ટેબલ ૧૦૮૭૧ કુલ દર્દીઓ છે.