જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું
જામનગરની જિલ્લા જેલમાં બે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું
અહેવાલ: જગત રાવલ , જામનગર
૦૬ સપ્ટેમ્બર,જામનગરની જિલ્લા જેલમાં સુગમ વાતાવરણ જળવાયેલું રહે, તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરની બે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૧૦૦ જેટલા ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગરની જિલ્લા જેલમાં વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી, તેમજ લાયન્સ ક્લબ- (જામનગર) સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ ભાનુશાળી વગેરે ના સહયોગથી જિલ્લા જેલમાં ફૂલ ઝાડ ના એકસો જેટલા રોપાઓનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ ની સાથે જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષકશ્રી પી.એચ. જાડેજા, જેલર સિસોદીયા, સુબેદાર બાબુભાઈ પરમાર, હાજરી માસ્તર ધર્મેન્દ્ર સિંહ પરમાર વગેરે હાજર રહ્યા હતા. બંને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જેલ અધિક્ષક દ્વારા જેલની અંદર સુંદર અને સુગંધ તેમજ હરિયાળું વાતાવરણ બની રહે તે માટેના પ્રયત્નો હાથ ધરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.