આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૬૭૫ નવા દર્દીઓ નોંધાયા ૩૬૮ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૦૧ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૬૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૩૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨, ૫૦,૩૫૭ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન ક૨વામાં આવ્યા છે જે પૈકી ૨,૪૭,૦૬૭ વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે.
અને ૩,૨૯૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ ૬૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૭૩૪૮ દર્દીઓ સ્ટેબલ છે