Parasdham: જામનગરના પારસધામ માં દાતાઓ દ્વારા ઓક્સિજન મશીન અર્પણ કરાયા.
Parasdham: કોઈપણ કોરોના દર્દીને ઓકસીજન મશીન ની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ આપી ઓકસીજન મશીન મેળવી શકે છે
Parasdham: જામનગર ના જૈન સમાજ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને રાખી ને સૌરાષ્ટ્ર ભરમાં કોરોના દર્દીઓ માટે ઓકસીજન મશીન આપવાની સેવા ની શરૂઆત કરવામાં આવી છે જે કોઈપણ કોરોના દર્દીને ઓકસીજન મશીન ની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ આપી ઓકસીજન મશીન મેળવી શકે છે
જામનગર માં પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ ની પ્રેરણા થી પરમ યુવા સેવા ગ્રૂપ ના સંયુક્ત ઉપક્રમે જામનગર ના દિપક ટોકીઝ પાસે આવેલ પારસધામ (Parasdham) દ્વારા સૌરાષ્ટ્રભર ના કોરોના દર્દીઓ માટે ઓકસીજન કોન્સેન્ટ્રેટર મશીન સહાય ની શરૂઆત કરવાં આવી છે પારસધામ દ્વારા જામનગર જે કોરોના દર્દી ને ઓકસીજન કોન્સેન્ટ્રેટર મશીન ની જરૂરિયાત હોય તે કોરોના દર્દી નું આધારકાર્ડ આપી રીફેન્ડેબલ રકમ જમા કરાવી મેળવી શકે છે
ત્યારબાદ જે મશીન પરત કરયાબાદ સંસ્થા દ્વારા આ રકમ પરત આપી દેવામાં આવે છે પારસધામ ટ્રસ્ટ ને ફાલ્ગુનીબેન પાર્લા મુંબઈ વાળા તરફ થી 10 નંગ ઓકસીજન કોન્સેન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે જે કોરોના દર્દીઓ માટે હાલ અંત્યંત જરૂરી હોય અને વધુ મદદ તેઓને કરી શકાય છે.