પાલનપુરમાં બેફામ ડમ્પરે ચારને કચડયા: એક શ્રમિકનું મોત
પાલનપુરમાં બેફામ ડમ્પરે ચારને કચડયા: એક શ્રમિકનું મોત
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર
અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૫ જાન્યુઆરી: પાલનપુરમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે નિંદ્રાધિન ચાર શ્રમિકોને કચડ્યાં હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ગંભીર ઇજાઓને કારણે એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોકલાયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે હાલ સ્થાનિકો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ગતરાત્રે ડમ્પરે ચાર શ્રમિકોને કચડતાં એકનું મોત થયુ છે. પાલનપુરના માનસરોવર વિસ્તારમાં પથિકાશ્રમની પાછળની ભાગે રાત્રે મજૂરો સુઇ ગયા હતા. જે બાદમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે ચારે શ્રમિકોને કચડી દીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ ઇજાગ્રસ્ત ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ધોરણ 9 અને 11ના વર્ગો પણ આ મહિનાથી થશે શરૂ, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત