Sushant edited

શા માટે ચિંતિત થયો સુશાંત સિંહનો પરિવાર? જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૫ ઓક્ટોબર: AIIMSના રિપોર્ટથી ચિંતિત સુશાંતના પિતાના વકીલ બોલ્યા, CBIએ કોઈપણ કિંમતે નવી ફોરેન્સિક ટીમ બનાવવી જોઈએ.AIIMSની ટીમે સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હત્યાના એન્ગલને નકારી દીધું છે. AIIMS દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંતનો કેસ ક્લીયર કટ આત્મહત્યાનો છે. પરંતુ સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહ AIIMSના રિપોર્ટથી જરાપણ ખુશ નથી. તેમનું કહેવું છે કે CBI એ આ કેસમાં નવી ફોરેન્સિક ટીમ બનાવવી જોઈએ. એક રિપોર્ટ મુજબ, વિકાસ સિંહ CBIના ડિરેક્ટર પાસે તેમની માગ લઈને જશે. વિકાસસિંહે ટ્વીટ મારફતે આ વાત શેર કરી.

twitter 2
Advt Banner Header