સુશાંત કેસ: સિદ્ઘાર્થ પિઠાની અને કૂક નીરજના નિવેદનોમાં વિરોધાભાસ
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૩ ઓગસ્ટ:CBI સુશાંતસિંહ રાજપૂતના કૂક નીરજ અને તેના ફ્લેટમેટ રહી ચૂકેલા સિદ્ધાર્થ પિઠાનીની ફરી પૂછપરછ કરી રહી છે.મહત્વની વિગતો સામે આવી છે કે બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, આ અગાઉ પણ પિઠાની અને નીરજની CBIએ પૂછપરછ કરી હતી અને ક્રાઈમ સીનનું રિક્રીએશન કરીને સુશાંતના બાંદ્રામાં આવેલા ઘરમાં પણ લઈ જવાયા હતા. સુપ્રીમ કોર્ટથી હરી ઝંડી મળ્યા બાદ CBIએ મુંબઈ પહોંચીને સૌથી પહેલા નીરજ સાથે પૂછપરછ કરી હતી,જ્યારે પિઠાની એક દિવસ બાદ હૈદરાબાદથી મુંબઈ આવ્યા પછી તપાસમાં સામેલ થયા હતા.અત્યાર સુધી સિદ્ધાર્થ પિઠાનીએ સુશાંતના મોત મામલે મૌન સેવ્યુ છે. CBI હવે સિદ્ધાર્થ અને નીરજને સાથે બેસાડીને પૂછપરછ કરશે.