ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને રાહત નહીં,જામીન અરજી પર સુનાવણી ટળી
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૪ સપ્ટેમ્બર: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મોત કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ કોઈ રાહત નથી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી ટાળતા હવે જામીન અરજી પર 29 સપ્ટેંબરે સુનાવણી થશે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)એ ડ્રગ્સ કેસમાં 9 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેના પહેલા રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી હતી.
આ મામલે લગભગ 20 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે,પોતાની જામીન અરજીમાં રિયાએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા અને સુશાંત અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા.રિયાએ દાવો કર્યો કે સુશાંત તેને મળ્યો તે પહેલાથી ગાંજા અને ડ્રગ્સનું સેવન કરતો હતો.રિયાએ કહ્યું કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. હાઈકોર્ટમાં હવે જામીન અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી થશે.