Nagma

અભિનેત્રી નગમાએ ઉઠાવ્યા NCBની કાર્યવાહી પર સવાલ,જાણો નગમાએ કંગના પર શું કર્યો વાર?

Nagma Twitte 2

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૪ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં સામે આવેલા ડ્રગ્સ કેસને લઈને એનસીબીએ તપાસ તેજ કરી છે. એવામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ વધ્યા છે.કૉંગ્રેસ નેતા અને અભિનેત્રી નગમાએ એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.નગમાએ ટ્વીટ કરી કંગના પર નિશાન સાધ્યુ કે –હજુ સુધી એનસીબીએ કંગના સામે શા માટે કોઈ કાર્યવાહી નથી કરી,હજુ સુધી કંગનાને શા માટે સમન નથી મોકલવામાં આવ્યું?નગમાએ ટ્વીટ કરી એનસીબી એક તરફી કાર્યવાહી કરતું હોવાનો આરોપ લગાવ્યો,

Nagma

તેણે કહ્યું કે માત્ર સોશલ મીડિયા પર ચેટના આધારે જાણીતી અભિનેત્રીઓને સમન મોકલવામાં આવ્યું. એનસીબી અભિનેત્રીઓ સાથે જોડાયેલી માહિતી લીક કરશે અને અભિનેત્રીઓની છબી ખરડવાનો પ્રયાસ કરે છે.નગમાએ પોતાના ટ્વીટમાં એક તસવીર પણ શેયર કરી,નગમાએ 56 ઈંચ લખીને આડકતરી રીતે પ્રધાનમંત્રી મોદી પર પણ વાર કર્યો

Nagma Twitte