એઇમ્સ આવશે, ૫૦૦૦ થી વધુ નોકરીઓ લાવશે તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે: એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા રાજકોટ,૨૯ડિસેમ્બર:ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની આએઈમ્સમાં અનેક વિભાગ તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓ.પી.ડી. થી લઈ ટ્રોમા સુધીના ઇમરજન્સી કેસનેહેન્ડલકરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. તબીબી અને વિદ્યા એમ બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે ઉભી થશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું. આ પણ વાંચો…. બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર … Read More