જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?
રિપોર્ટ: જગત રાવલ, જામનગર
દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી.
ભગવાન શનિદેવ પર અતૂટ વિશ્વાસ ધરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ભાણવડ પાસે હાથલા ખાતે આવે શનિમંદિરે ભગવાન શનિદેવ ના દર્શન કર્યા અને શનિ મંદિર ના વિકાસ કામો ની સમીક્ષા કરી હતી.
મંત્રી ભુપેન્દ્રસિંહ એ સમગ્ર વિશ્વ માંથી કોરોના નો અંત આવે તેવી ભગવાન શનિદેવ પાસે પ્રાર્થના કરી હતી.