અંબાજી માં માતાજી ના ભક્ત દ્વારા હીરા જડિત સોના નું છત્ર ભેટ કરાયું
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, 10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી માં આજે માતાજી ના ભક્ત દ્વારા હીરા જડીત સોના નું છત્ર ભેટ કરાયું છે મધ્યપ્રદેશ માં ઇન્દોર ના મોહનખેડા તીર્થ ના ભક્તો દ્વારા માં અંબા ને આજે 230 ગ્રામ સોના નું હીરાજડિત છત્ર અર્પણ કર્યું હતું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેમ્પલ ઈન્સપેકટર સતિષ ગઢવી એ 11.38 લાખ નું આ સોના ના છત્ર નું દાન સ્વીકારી શ્રધ્ધાળુ ને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યું હતું મોહનખેડા તીર્થ ના અનુયાઈ સંતોસ જૈન એ જણાવ્યું હતું કે અમારી મનોકામના પૂર્ણ થતાં અમે માતાજી ને હીરાજડિત સોના નું છત્ર અર્પણ કરી માતાજી ના દર્શન કર્યા છે
loading…